આણંદમાં બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે શ્રીજીનું ભવ્ય આગમન
આણંદ જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણેશ મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. સાથે-સાથે ગણેશજીની મૂર્તિઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે, આણંદના બ્લોકબસ્ટર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગણેશજીની ભવ્યાતિભવ્ય આગમન યાત્રા કાઢવામાં આવી હતી.
વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી ઢોલ-નગારા, ડી.જે ના તાલ સાથે વાજતે ગાજતે નીકળેલી આ ગણેશજીની આગમન યાત્રા મોટા બજાર ચોકડી, ભાઈકાકા સ્ટેચ્યુ, એ.વી રોડ, બિગબજાર, 80ફુટ રોડ પર થઈને બ્લોકબસ્ટર ગ્રાઉન્ડ પહોંચી હતી.