આણંદ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ,આણંદના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ એમજીવીસીએલ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, આંગણવાડી, શિક્ષણ સહિત વિવિધ વિભાગને લગતી પ્રજાલક્ષી બાબતો અંગે ત્વરિત યોગ્ય કાર્યવાહી કરવા તથા નાગરિકોના હિતોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે પડતર અરજીઓના નિકાલ તેમજ જર્જરિત પાણીની ટાંકી, આંગણવાડી અને શાળાના ઓરડાઓ ઉતારી લેવા અંગે સકારાત્મક અભિગમથી કામ કરી ઝડપી અને યોગ્ય નિકાલ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ.દેસાઈ, નાયબ વન સંરક્ષકશ્રી સહિત સંકલન સમિતિના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.