Advertisement

"સિન્દૂર ઉઝાડનાર આતંકવાદીઓને નાશ": પીએમ મોદીના સંબોધનમાં શક્તિશાળી મેસેજ

"સિન્દૂર ઉઝાડનાર આતંકવાદીઓને નાશ": પીએમ મોદીના સંબોધનમાં શક્તિશાળી મેસેજ

"સિન્દૂર ઉઝાડનાર આતંકવાદીઓને નાશ": પીએમ મોદીના સંબોધનમાં શક્તિશાળી મેસેજ

પાકિસ્તાન સાથે યુદ્ઘવિરામના ૫૧ કલાક પછી,પીએમ મોદીએ સોમવારે રાત્રે ૮ વાગે રાષ્ટ્રને સંબોધન કર્યુ. ઓપરેશન સિંદૂર અંગે કહ્યું કે આપણે તે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર ઉજાડયા હતા. અમારા ઓપરેશનમાં ૧૦૦થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.

યુદ્ઘવિરામ અંગે પીએમ કહ્યું કે પાકિસ્તાની વિનંતી પર,ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું છે. તેમણે કહ્યું કે ભારતે પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. પાકિસ્તાનનું વલણ જોયા પછી અમે આગળની કાર્યવાહી નક્કી કરીશું.

મોદીએ કહ્યું કે પાકિસ્તાન તરફથી પરમાણુ ધમકી સહન કરવામાં આવશે નહી. ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે. આપણી એકતા આપણી સૌથી મોટી તાકાત છે. આપણે બધા આતંકવાદના તમામ સ્વરૂપોને સામે એક થઇને લડીશું. આ ચોક્કસપણે યુદ્ઘનો યુગ નથી, પરંતુ તે આતંકવાદનો પણ યુગ નથી.આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા એ એક સારા વિશ્વની ગેરંટી છે. જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાને પ્રોત્સાહન આપી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે. જો પાકિસ્તાન ટકી રહેવા માંગે છે તો તેણે તેના આતંકવાદી માળખાનો નાશ કરવો પડશે. આ સિવાય શાંતિનો બીજો કોઇ રસ્તો નથી. ભારતનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ છે, આતંક અને વાતો સાથે ન ચાલી શકે, આતંક અને વેપાર સાથે ન ચાલી શકે. પાણી અને લોહી પણ એકસાથે વહી શકતા નથી. હું વિશ્વ સમુદાયને એ પણ કહેવા માંગુ છું કે અમારી જાહેર નીતિ એવી રહી છે જો પાકિસ્તાન સાથે કોઇ વાતચીત થશે તો તે ફકત આતંકવાદ પર જ થશે, જોઇ કોઇ વાત થશે તો તે ફકત પીઓકે પર જ થશે. દેશવાસીઓ, આજે બુદ્ઘ પૂર્ણિમા છે, ભગવાન બુદ્ઘે આપણને શાંતિનો માર્ગ બતાવ્યો છે. શાંતિનો માર્ગ પણ શક્તિમાંથી પસાર થાય છે.

સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ
પાકિસ્તાન સાથે ૫૧ કલાકના યુદ્ઘવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું - છેલ્લા કેટલાક દિવસોમાં આપણે દેશની તાકાત અને સંયમ બંને જોયા છે. સૌ પ્રથમ,હું દરેક ભારતીય વતી ભારતની શક્તિશાળી સેનાઓ, સશસ્ત્રદળો, આપણી ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોને સલામ કરું છું.આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશનના ઉદેશ્યોને પ્રાપ્ત કરવા માટે અપાર હિંમત દર્શાવી. આજે, હું તેમની બહાદુરી, હિંમત અને બહાદુરી આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.

આતંકીઓને કલ્પના પણ નહોતી કરી કે ભારત આટલો મોટો નિર્ણય લેશે
ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. ૬ મેના રોજ મોડી રાત્રે અને ૭ મેના રોજ વહેલી સવારે, આખી દુનિયાએ આ વચનને પરિણામમાં પરિવર્તિત થતું જોયું. ભારતીય દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તાલીમ કેન્દ્ર પર સચોટ હૂમલા કર્યા.આતંકવાદીઓએ સપનામાં પણ કલ્પના કરી ન હતી કે ભારત આટલો મોટો નિર્ણય લઈ શકે છે.

૧૦ મેના રોજ યુદ્ઘવિરામ થયો, પાકિસ્તાને ૩ કલાકમાં ભંગ કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે ૫ વાગે યુદ્ઘવિરામ લાગુ થયો, જો કે પાકિસ્તાને એને લાગુ કર્યાના માત્ર ૩ કલાક પછી જ તોડી નાખ્યો. પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને પંજાબમાં ૧૫ સ્થળે ડ્રોન હૂમલા કરવામાં આવ્યા હતા, જેને ભારતીય વાયુસેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.

આપણે પાકિસ્તાનની છાતી પર ઘા કર્યા
પાકિસ્તાને અમારી કોલેજો, ગુરદ્વાર, નાગરિકો, ઘરો, સેનાના સ્થળો, મંદિરોને નિશાન બનાવ્યા. પાકિસ્તાનની મિસાઈલો ભારત સામે તણખલાની જેમ વિખેરાઈ ગઈ. પાકિસ્તાનની તૈયારી સરહદ પર હુમલાની હતી પરંતુ ભારતે તેની છાતી પર હુમલો કરી કરી દીધો. ભારતે પહેલા ૩ દિવસોમાં એટલી તબાહ કરી દીધી જેનો તેને અંદાજજો પણ નહોતો.


Advertisement