Advertisement

પુતિનનો શાનદાર સ્વાગત! રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર, PM મોદી હાજર

પુતિનનો શાનદાર સ્વાગત! રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર, PM મોદી હાજર

: રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન 23મી ભારત-રશિયા સમિટ માટે ભારતની મુલાકાતે છે. આજે તેમના પ્રવાસનો બીજો અને મુખ્ય દિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પુતિનની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેમાં વેપાર, સંરક્ષણ અને ઊર્જા સહયોગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદનો રશિયન રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ છે, જે બંને દેશોના સંબંધોની ગંભીરતા દર્શાવે છે. પુતિન ગઈકાલે દિલ્હીમાં લેન્ડ થયા ત્યારે વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. સાંજે, પીએમ મોદીએ પુતિન સાથે ડિનરનું આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે, જ્યાં તેમનું સ્વાગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગમન પર, પુતિનને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. હવે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે.

રશિયન પ્રમુખ પુતિન અને પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા 

રશિયન પ્રમુખ પુતિન અને વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. અહીં રાષ્ટ્રપતિ મુર્મૂ તેમનું ઔપચારિક સ્વાગત કરશે. 

પુતિનને રાષ્ટ્રપતિ ભવનમાં ગાર્ડ ઓફ ઓનર અપાશે 

રાષ્ટ્રપતિ ભવનમાં રશિયન પ્રમુખ પુતિનના સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનરની તૈયારી કરી લેવામાં આવી છે. હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં એસ.જયશંકર, દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સક્સેના અને સીડીએસ જનરલ અનિલ ચૌહાણ હાજર છે. 

આજે પુતિનના પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ (5 ડિસેમ્બર 2025)

આજે વડા પ્રધાન મોદી સાથેની બેઠકમાં અનેક ક્ષેત્રો પર વાતચીત થવાની અને વેપાર, સંરક્ષણ અને ઊર્જા સંબંધિત ઘણા કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. 

સવારે 11:00 વાગ્યે : સેરેમોનિયલ વેલકમ (ઔપચારિક સ્વાગત) માં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

સવારે 11:30 વાગ્યે: પુષ્પાંજલિ અર્પણ કરવા માટે રાજઘાટની મુલાકાત લેશે.

સવારે 11:50 વાગ્યે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

બપોરે 1:50 વાગ્યે : હૈદરાબાદ હાઉસમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાશે, જ્યાં મુખ્ય જાહેરાતો થવાની સંભાવના છે.

સાંજે 7:00 વાગ્યે : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરવા માટે રાષ્ટ્રપતિ ભવન જશે.

રાત્રે 9:00 વાગ્યે : ભારતમાંથી રશિયા માટે પ્રસ્થાન કરશે અને તેમનો પ્રવાસ સમાપ્ત થશે.

પીએમ મોદી સાથે પુતિનની બેઠકનું મહત્વ

નરેન્દ્ર મોદી અને વ્લાદિમીર પુતિન વચ્ચેની આ રાજદ્વારી બેઠક ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. વાતચીતમાં મુખ્યત્વે આ મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે:

ઊર્જા સહયોગ: ઓઇલ સપ્લાય અને ન્યુક્લિયર એનર્જી સેક્ટરમાં સહયોગના નવા માર્ગો શોધવા પર વાત થશે.

સંરક્ષણ ડીલ્સ: ભારતની મહત્ત્વપૂર્ણ S-400 એર ડિફેન્સ સિસ્ટમ અને Su-57 ફાઇટર જેટ્સની ખરીદી અંગે પણ વાતચીત આગળ વધવાની સંભાવના છે.

વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) પરિવર્તનો વચ્ચે પુતિનનો આ પ્રવાસ ભારત-રશિયાના સંબંધોના મહત્વને દર્શાવે છે, જેમાં બંને દેશો તેમની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માંગે છે.

Advertisement