આણંદના અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સંત સંમેલન યોજાયું
આણંદના અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સંત સંમેલન યોજાયુંઆજે તા.૧૩, ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ થી ૧૨ દરમિયાન આણંદના અક્ષરફાર્મ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સંત સંમેલન યોજાયું હતું જેમાં સમગ્ર ચરોતર પ્રદેશના સંતો, મહંતો, મહામંડલેશ્વરો મઠાધીપતિશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અક્ષરધામ ગમનની તારીખ ૧૩ ઓગસ્ટના દિવસે આ સંત સંમેલન યોજાયેલ હતું.
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને બીએપીએસ સંસ્થાના તમામ સંતો હરિભક્તોનો સનાતન ધર્મના વાહક એવા આ સંતો, મહંતો, મહામંડલેશ્વર સાથે આત્મીયતા ભર્યો નાતો રહ્યો છે. અનેકવાર પરમ પૂજ્ય સ્વામીશ્રી અને આ સંતોની સૌજન્ય મુલાકાતો થયેલ છે ત્યારે પરસ્પર સ્નેહ અને આદરના દર્શન સૌએ કર્યા છે. પરમ પૂજ્ય અનંત શ્રી વિભૂષિત ડો. સ્વામીશ્રી દેવકીનંદન દાસજીએ આ સંત સંમેલન કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
જેમાં ઉપસ્થિત તમામ સંતો મહંતો મહામંડલેશ્વરને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સૌ પૂજ્ય સંતોને નવાજ્યા હતા અને સૌનું આદરપૂર્વક અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એ આશીર્વાદ આપતા જણાવ્યું ભાગ્ય બડે,જહા સંત પધારે. આ બધા સંતો અહીં પધાર્યા તે અમારા સૌના ભાગ્ય છે.
આપ સૌ સંતોના દર્શનથી અમોને ખૂબ આનંદ થયો છે. આપ સૌ સંતો ભગવાનને આગળ રાખીને સમાજનું, ધર્મનું કાર્ય કરી રહ્યા છે અને સૌને ભગવાનના માર્ગે આગળ વધારી રહ્યા છો. પ્રમુખસ્વામી મહારાજના વખતથી જ આપ સૌનો આ સંસ્થા સાથે નિકટ સંબંધ રહ્યો છે. સ્નેહના સૂત્રથી આપ સૌ અહીં પધાર્યા છો.અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌનું સ્વાસ્થ્ય ભગવાન નિરામય રાખે તેવી પ્રાર્થના છે. આપના દર્શન અવારનવાર થતા રહે એવી ભગવાન કૃપા કરે." અંતમાં સૌ પધારેલા સૌ સંતો મહંતોનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ત્યારબાદ સંતો મહંતો માટે બ્રહ્મભોજનનું પણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.